બ્રેકિંગ@શામળાજી: નેશનલ હાઇવે પર અજાણ્યાં વાહનની ટક્કરે 2 લોકોના ઘટનાસ્થળે જ મોત
અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી કોરોનાકાળ વચ્ચે આજે વહેલી સવારે શામળાજી-હિંમતનગર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પર જઇ રહેલાં દંપતિને અજાણ્યાં વાહનચાલકે ટક્કર મારતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત વાહનચાલકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. જોકે અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઇ
Dec 30, 2020, 10:57 IST
અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી
કોરોનાકાળ વચ્ચે આજે વહેલી સવારે શામળાજી-હિંમતનગર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પર જઇ રહેલાં દંપતિને અજાણ્યાં વાહનચાલકે ટક્કર મારતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત વાહનચાલકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. જોકે અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સાબરકાંઠા જીલ્લાના શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ કરણપુર ગામ પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અજાણ્યા વાહને બાઇકચાલક દંપતીને અડફેટે લીધા હતા. જેમાં બાઈકચાલક પુરૂષ અને મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ. આ તરફ અજાણ્યો વાહનચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો છે. સ્થાનિક પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપવા કવાયત હાથ ધરી છે.