બ્રેકિંગ@સુરેન્દ્રનગર: સબ જેલમાંથી મોબાઈલ મળતા ચકચાર મચી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર ગત તા. 27/04/2019ના રોજ જેલર એચ.આર. રાઠોડેને માહિતી મળતા ચેકિંગ કરવામાં આવી હતી ચે દરમિયાન જેલના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. આ કેદી ચોટિલા હત્યા કેસનો છે. કેદીની પથારીને તપાસ કરતા તેના ઓસિકામાં છુપાવેલ મોબાઈલ મળી આવ્યો હતો. સૌરાષ્ટના સુરેન્દ્રનગરમાં આવેલી સબ જેલમાંથી અવારનવાર કઈંકને કંઈક નવુ થતુ રહે છે. સુરેન્દ્રનગર
 
બ્રેકિંગ@સુરેન્દ્રનગર: સબ જેલમાંથી મોબાઈલ મળતા ચકચાર મચી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

ગત તા. 27/04/2019ના રોજ જેલર એચ.આર. રાઠોડેને માહિતી મળતા ચેકિંગ કરવામાં આવી હતી ચે દરમિયાન જેલના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. આ કેદી ચોટિલા હત્યા કેસનો છે. કેદીની પથારીને તપાસ કરતા તેના ઓસિકામાં છુપાવેલ મોબાઈલ મળી આવ્યો હતો.

સૌરાષ્ટના સુરેન્દ્રનગરમાં આવેલી સબ જેલમાંથી અવારનવાર કઈંકને કંઈક નવુ થતુ રહે છે. સુરેન્દ્રનગર સબ જેલના જેલર એચ.આર. રાઠોડે શનિવારે બપોરે મળતી સુચના આપતા સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બેરેક નં.૧માંથી ચોટીલામાં થયેલ હત્યા કેસના આરોપી અકરમ સુભાનભાઇ હમીરકાની પથારી ચેક કરતા તેના ઓશીકાની અંદર છુપાવેલો મોબાલ મળી આવ્યો હતો. જેથી અકરમ સુભાનભાઇ સામે પ્રીઝન એકટ મુજબ એ ડિવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ એસ.આર. ઘોરી ચલાવી રહ્યા છે.

આ ચોટીલામાં થયેલા હત્યા કેસના આરોપી અકરમ પાસેથી બીજી વાર મોબાઇલ મળી આવ્યો છે. દોઢ માસ અગાઉ જેલમાં ચેકિંગ દરમ્યાન તેની પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો.