બ્રેકિંગ@થરાદ: બે બાળકો સહિત માતાએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યુ
અટલ સમાચાર,સુઇગામ, કાંકરેજ (દશરથ ઠાકોર) બનાસકાંઠાની થરાદ મુખ્ય કેનાલમાં શુક્રવારે બે બાળકો સહિત માતાએ છલાંગ લગાવી લેતા ચકચાર મચી જવા પામી છે. થરાદની મહાજનપુરા પુલ પાસે કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યાના બનાવો વધી રહયા છે. ત્યારે શુક્રવારે બે બાળકો સહિત એક માતાએ પાણીમાં છલાંગ લગાવી આપઘાત કરી લેતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. થરાદની મહાજનપુરા મુખ્ય
Jun 28, 2019, 15:11 IST
અટલ સમાચાર,સુઇગામ, કાંકરેજ (દશરથ ઠાકોર)
બનાસકાંઠાની થરાદ મુખ્ય કેનાલમાં શુક્રવારે બે બાળકો સહિત માતાએ છલાંગ લગાવી લેતા ચકચાર મચી જવા પામી છે. થરાદની મહાજનપુરા પુલ પાસે કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યાના બનાવો વધી રહયા છે. ત્યારે શુક્રવારે બે બાળકો સહિત એક માતાએ પાણીમાં છલાંગ લગાવી આપઘાત કરી લેતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
થરાદની મહાજનપુરા મુખ્ય કેનાલમાં બે બાળકો સહિત માતાએ મોતની છલાંગ લગાવી હોવાની જાણ થરા નગરપાલિકા અને ફાયર વિભાગને થતા ફાયરટીમે ઘટના સ્થળે આવી માતા-બે બાળકો સહિત એક વૃધ્ધની લાશ પણ બહાર નીકાળવામાં આવી છે. ઘટનાની જાણ થતા થરાદ પોલીસ સ્થળ પર દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.