કાંકરેજ@બ્રેકિંગ: પાણીની મોટર ચાલુ કરતી વખતે કરંટ લાગતા ઇસમનું મોત
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠાના કાંકરેજમાં બુધવારે સવારે પાણીની મોટર ચાલુ કરવા જતા એક ઇસમનું કરંટ લાગવાથી મોત નિપજયુ છે. મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલ હોસ્પિટલ મોકલી અપાઇ છે. કાંકરેજના રાણકપુર ગામે બુધવારે મનુભા તલસિંહ ઝાલા પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે અચાનક શોર્ટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતા પંથકમાં શોકનો
Jun 19, 2019, 15:05 IST
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
બનાસકાંઠાના કાંકરેજમાં બુધવારે સવારે પાણીની મોટર ચાલુ કરવા જતા એક ઇસમનું કરંટ લાગવાથી મોત નિપજયુ છે. મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલ હોસ્પિટલ મોકલી અપાઇ છે.
કાંકરેજના રાણકપુર ગામે બુધવારે મનુભા તલસિંહ ઝાલા પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે અચાનક શોર્ટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. મૃતકની લાશને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી દેવામાં આવી છે.