વેપારઃ SBIએ ગ્રાહકોને કર્યા ખુશ, બેંક જલ્દી શરૂ કરશે આ નવી સ્કીમ
અટલ સમાચાર, ડેસ્ક
ભારતીય સ્ટેટ બેંક (SBI, bank)એ પોતાના તમામ રીટેલ લોનને સિસ્ટ્રક્ચરિંગ માટે ડિઝિટલ પ્લેટફોર્મ શરૂ કરવાનું છે. અંગ્રેજી છાપું ઇકોનોમિક ટાઇમ્સની ખબર મુજબ તે પોર્ટલ દ્વારા લોનની રિસ્ટ્રક્ચરિંગ માટે અરજી કરશે. તેમાં રી્સ્ટ્રક્ચરિંગ માટે પાત્રતાને જોઇ શકાય છે. આ પોર્ટલ 24 સપ્ટેમ્બર સુધી શરૂ થવાની આશા રાખવામાં આવી છે.
આ સૂચન દ્વારા ગ્રાહક જાણી શકશે કે તે આ માટે યોગ્યતા ધરાવે છે કે કેમ? આ સમયગાળો 6 મહિનાથી લઇને 2 વર્ષ સુધીનો હોઇ શકે છે. એસબીઆઇ પાસે 2 કરોડથી વધુ ગ્રાહકો છે. આ દેશની સૌથી મોટી બેંક છે. અને બેંક કોર્પોરેટ અને એમએસએમઇ ગ્રાહકોથી લોન રીસ્ટ્રક્ચરિંગનું આવેદન બ્રાંચથી સ્વીકારવું ચાલુ રાખશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે અમારી પાસે 30 લાખ હોમ લોન કસ્ટમર છે. જો કોઇ પાત્રતાને ચેક કરવા માંગે તો આ પૂરી રીતે ઓટોમેટિક છે. આ પ્રક્રિયા અમે મેન્યુઅલી નથી કરી શકતા. તેમણે જણાવ્યું કે સિસ્ટમ તમારી હાલની ઇનકમ અને આવતા કેટલાક મહિનામાં અપેક્ષિત ઇનકમ ચેક કરશે. આ આધાર પર તે 12 મહિનાથી બે વર્ષના મોરેટોરિયમની સલાહ આપશે. આ યોજના 22-24 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રિસ્ટ્રક્ચરિંગમાં લોનની રિપેમેન્ટની અવધિ વધી શકે છે. આ સિવાય બેંક દ્વારા શરતો મુજબ વ્યાજ આપવાની ફિક્વેંસીમાં બદલાવ કરી શકાય છે. આ દર વર્ષે અલગ અલગ થઇ શકે છે. નના અંત સુધી બેંકની લોન બુકનો દસમો ભાગ મોરેટોરિયમ હેઠળ હતો. મેની તુલનામાં તેમાં 21.8 ટકાની ઓછી થઇ છે. રિટેલ સેગમેન્ટમાં લગભગ 90 લાખ કસ્ટમરે મોરેટોરિયલ લીધું છે. તેવામાં 6.5 લાખ રોકડ રૂપિયાની રકમ જોડાયેલી છે. બેકિંગ સેક્ટર પર નજર રાખનાર વિશ્લેષકો આ અનુમાન લગાવે છે કે રીસ્ટ્રક્ચરિંગ માટે આવનારા સમયમાં મોટી માંગ જરૂરથી આવશે.