ઝડપ્યો@લાખણી: 8 શાળાના 27 લાખથી વધુ નાણાં ઉચાપત કર્યા, ફરાર આચાર્ય ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત્ શ્રીમાળી) કોરોના કાળ વચ્ચે લાખણી તાલુકાની પ્રાથમિક શાળામાં 27.67 લાખની ઉચાપત કરનાર આચાર્યને આજે આગથળા પોલીસે છેક બેચરાજીથી ઝડપી પાડ્યો છે. સાતેક માસ અગાઉ તાલુકાની આઠ પ્રાથમિક શાળામાં વિવિધ ગ્રાન્ટ ચાઉં કર્યાની ફરીયાદ આ આચાર્ય સામે નોંધાઇ હતી. આ પછી આચાર્ય ફરાર થઇ ગયાની વચ્ચે આગથળા પોલીસે તપાસ ચાલુ રાખી હતી.
 
ઝડપ્યો@લાખણી: 8 શાળાના 27 લાખથી વધુ નાણાં ઉચાપત કર્યા, ફરાર આચાર્ય ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત્ શ્રીમાળી) 

કોરોના કાળ વચ્ચે લાખણી તાલુકાની પ્રાથમિક શાળામાં 27.67 લાખની ઉચાપત કરનાર આચાર્યને આજે આગથળા પોલીસે છેક બેચરાજીથી ઝડપી પાડ્યો છે. સાતેક માસ અગાઉ તાલુકાની આઠ પ્રાથમિક શાળામાં વિવિધ ગ્રાન્ટ ચાઉં કર્યાની ફરીયાદ આ આચાર્ય સામે નોંધાઇ હતી. આ પછી આચાર્ય ફરાર થઇ ગયાની વચ્ચે આગથળા પોલીસે તપાસ ચાલુ રાખી હતી. આ દરમ્યાન આજે આગથળા પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે બેચરાજીથી ફરાર આરોપી આચાર્યની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે ડીસા મોકલી આપ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાની આગથળા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય દેવચંદ સોલંકીએ વર્ષ 2016-17 અને 2017-18માં આઠ શાળાની ગ્રાન્ટમાં ઉચાપત કરી હતી. મોરાલ, ઢાકણીયા વાસ, સરકારી ગોળીયા સહિત આઠ શાળાની ગ્રાન્ટ ચાઉં કરી ગયા હોવાની ફરીયાદ દાખલ થઈ હતી. જેમાં આરોપી આચાર્યએ વિદ્યાલક્ષી બોર્ડ ગ્રાન્ટ, સ્વચ્છતા ગ્રાન્ટ, ગુણોત્સવ ગ્રાન્ટ, શિષ્યવૃતિ ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષક પગાર ગ્રાન્ટ, પ્રવેશોત્સવ ગ્રાન્ટ, ફર્સ્ટ એઇડ ગ્રાન્ટ સહિતની સરકારી ગ્રાન્ટમાં ઉચાપત થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ઝડપ્યો@લાખણી: 8 શાળાના 27 લાખથી વધુ નાણાં ઉચાપત કર્યા, ફરાર આચાર્ય ઝબ્બે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સાતેક માસ અગાઉ ફરીયાદ નોંધાયા બાદ આરોપી આચાર્ય નાસતો ફરતો હતો. જોકે આ બાદ આરોપી આચાર્ય દેવચંદ સોલંકી પોલીસ પકડથી દૂર હોવાથી આગથળા પોલીસ ચારેબાજુથી તપાસમાં હતી. આ દરમ્યાન આજે આગથળા પોલીસ મથકના PSI પી.એન.જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી આચાર્ય બેચરાજીમાં છે. જે આધારે બેચરાજીથી આરોપી આચાર્ય દેવચંદની અટકાયત કરી આગથળા લાવ્યા હતા. જે બાદ આચાર્યનો કોવિડ ટેસ્ટ કરવા ડીસા મોકલ્યા હોવાનું PSI જાડેજાએ ઉમેર્યુ હતુ.

આચાર્ય સામે ક્યારે અને કેમ નોંધાઇ હતી ફરીયાદ ?

લાખણી તાલુકાની આગથળા પગાર કેન્દ્ર શાળામાં દેવચંદભાઇ મોતીભાઇ સોલંકી (મુળ રહે.મેસર, તા.સરસ્વતી, જી.પાટણ) આચાર્ય તરીકેની ફરજ દરમ્યાન 2016-17 અને 2017-18માં આઠ જેટલી શાળાની ગ્રાન્ટમાં ઉચાપત કરી હતી. જે બાબતે તપાસને અંતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયંતિલાલ પટેલે તા. 20-03-2020ના રોજ આચાર્ય સામે મોરાલ, ઢાંકણીયાવાસ, ગોગાપુરા(આ), વિહાજીનગર(મોરાલ), ગણેશપુરા, લેબતપુરા, ગોળીયા અને ભુરગઢ પ્રાથમિક શાળાની ગ્રાન્ટમાં કુલ 27,67,348ની ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જે બાદમાં આગથળા પોલીસે આચાર્ય સામે આઇપીસીની કલમ 409 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે આરોપી ફરાર હોવાથી આજે આગથળા પોલીસની ટીમે છેક બેચરાજીથી આચાર્યને ઝડપી પાડ્યો છે