ચકચાર@અમદાવાદઃ પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં પતિએ આપઘાત કર્યો
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા જ પતિએ આપઘાત કરી લીધો. 13 દિવસ પહેલાં જ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જો કે, મરતા પહેલાં યુવકે બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી. જે પરિવારના સભ્યોએ ચેક કરતા પત્નીને પાડોશી યુવક સાથે પ્રેમ સબંધ હોવાનું રેકોર્ડિંગ બહાર આવ્યું હતું. જેથી આ મામલે મૃતકની માતાએ પુત્રવધૂ અને પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં ગૌરીબહેન દેવજીભાઇ મારૂ તેમના બે સંતાન દિપક અને ભરત સાથે રહેતા હતા. ભરતના આઠેક વર્ષ પહેલા દક્ષા સાથે લગ્ન થયા બાદ દક્ષા પણ તેમની સાથે રહેવા લાગી હતી. અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી. જેથી ભરત દુખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુત્રોએ જણાવ્યુ હતુ કે, 7 સપ્ટેમ્બરના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દિપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. જો કે, બીજા દિવસે ઉઠતા ભરત ત્યાં હતો નહી. બાજુની રૂમમાં જોતા ભરતે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ મામલે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતકના પરિવારજનો નું કહેવું છે કે દક્ષા રીસાઇને અઢી મહિના પહેલાં પિયર જતી રહી હતી અને ભરત સાથે વાત પણ કરતી ન હતી. ભરતના મોત બાદ તેની પત્નીને ફોન કરી વાત કરી હતી. પરંતુ તેણે કહ્યું હતું કે, મારે કોઇ સબંધ રાખવો નથી અને મારે આવવું પણ નથી. તેથી અતિમ વિધીમાં પણ પત્ની હાજર રહી ન હતી અને સંતાનને પણ આવવા ન દીધો હતો.