ચકચાર@કાંકરેજ: કેનાલમાં યુવક ડુબ્યો હોવાની આશંકા, તરવૈયા દ્વારા શોધખોળ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ,કાંકરેજ કાંકરેજ પંથકની મુખ્ય નર્મદા કેનાલમાં યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે કેનાલની બાજુમાં ચપ્પલ અને બાઈક મુકી યુવકે કેનાલમાં ઝંપલાવ્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. ઘટનાની જાણ થતા રાહદારીઓ સહીત આસપાસના લોકો કેનાલ પાસે દોડી આવ્યા હતાં. જે બાદમાં તરવૈયાઓને જાણ કરાતાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. જોકે
 
ચકચાર@કાંકરેજ: કેનાલમાં યુવક ડુબ્યો હોવાની આશંકા, તરવૈયા દ્વારા શોધખોળ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ,કાંકરેજ

કાંકરેજ પંથકની મુખ્ય નર્મદા કેનાલમાં યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે કેનાલની બાજુમાં ચપ્પલ અને બાઈક મુકી યુવકે કેનાલમાં ઝંપલાવ્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. ઘટનાની જાણ થતા રાહદારીઓ સહીત આસપાસના લોકો કેનાલ પાસે દોડી આવ્યા હતાં. જે બાદમાં તરવૈયાઓને જાણ કરાતાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. જોકે યુવકનો કોઈ પત્તો નહી લાગતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુરથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક ડુબ્યો હોવાની વાત સામે આવી છે. ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા થરાદના તરવૈયા સુતલાન મીરને બોલાવાયા હતા. જોકે તરવૈયા દ્વારા ભારે શોધખોળને અંતે પણ યુવકનો મૃતદેહ નહી મળતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે. આ તરફ યુવકનુ બાઈક અને ચપ્પલ કેનાલની બહાર પડ્યા હોઈ આપઘાત કર્યો હોવાનુ પ્રાથમિક દ્રષ્ટીએ મનાઈ રહ્યુ છે.