ચકચાર@કચ્છ: ભાભરના યુવકનું ATMમાં જ છરીથી માથુ કાપી હત્યાં, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે અંજારમાં એટીએમ કંપનીના ગાર્ડની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે મૂળ ભાભરના અને અંજાર ખાતે એટીએમમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતાં યુવકની હત્યા કરવામાં આવી છે. અગમ્ય કારણોસર યુવકનું માથું છરીથી કાપી દઇ હત્યાં કરી દેવાતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિકોમાં હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી
 
ચકચાર@કચ્છ: ભાભરના યુવકનું ATMમાં જ છરીથી માથુ કાપી હત્યાં, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે અંજારમાં એટીએમ કંપનીના ગાર્ડની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે મૂળ ભાભરના અને અંજાર ખાતે એટીએમમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતાં યુવકની હત્યા કરવામાં આવી છે. અગમ્ય કારણોસર યુવકનું માથું છરીથી કાપી દઇ હત્યાં કરી દેવાતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિકોમાં હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે પોલીસ તપાસ બાદ જ હત્યાનું સાચુ કારણ સામે આવી શકે છે. યુવકની હત્યાને આખુ એટીએમ લોહીથી લથપથ જોવા મળ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લાના અંજારમાં આવેલી વેલસ્પન કંપની પાસે એટીએમનાં સિક્યોરિટી ગાર્ડની છરી વડે હત્યા કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જીલ્લાના ભાભરના વતની અને હાલ વરસામેડી રહેતાં નવીન મણિલાલ સોલંકી(ઉ.વ.21) હાલ એસબીઆઇના એટીએમમાં ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે અજાણ્યાં ઇસમોએ એટીએમમાં જ નવીનની હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને પોલીસે એફએસએલને સાથે રાખીને હત્યા અંગે તપાસ શરૂ કરી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મરનાર સિક્યોરિટી ગાર્ડના સાળાએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. મધરાતના સમયે કોઈ અજાણ્યા લોકો દ્વારા ગળામાં અને છાતીનાં ભાગમાં હુમલો કરીને હત્યા કરવામાં આવી છે. કરપીણ હત્યાને પગલે એટીએમ લોહીથી લથબથ થઈ ગયું હતું. હત્યાને પગલે પૂર્વ કચ્છનાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.