ચકચાર@નવસારી: એક જ પરિવારના 3 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો, કારણ ચોંકાવનારૂં
અટલ સમાચાર ડોટ કોમ, નવસારી વાંસદા તાલુકાથી ગામે એક જ પરિવારના ત્રણ લોકોએ એકસાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ પરિવારના એકના એક પુત્રએ બિમારીથી કંટાળી આપઘાત કર્યા બાદ માતા-પિતાએ પણ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. ઘટનાને જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી
Sep 1, 2021, 15:46 IST
અટલ સમાચાર ડોટ કોમ, નવસારી
વાંસદા તાલુકાથી ગામે એક જ પરિવારના ત્રણ લોકોએ એકસાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ પરિવારના એકના એક પુત્રએ બિમારીથી કંટાળી આપઘાત કર્યા બાદ માતા-પિતાએ પણ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. ઘટનાને જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
નવસારી જીલ્લાના વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું ના સમાચાર છે. એકના એક પુત્રએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરતા માતા-પિતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત કરી લીધો છે. એક જ પરિવારના ત્રણ સભ્યો એક જ ઝાડ પર ફાંસીએ ઝૂલતા દેખાતા ગામ લોકો પણ શોકની લાગણી પ્રસરી હતી. વાંસદા પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.