ચકચાર@સતલાસણા: પરીણિતાની તેના પ્રેમીએ જ કરી હત્યા, પુત્રીએ નોંધાવી ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા સતલાસણા તાલુકાના ગામે પરીણિતાના મોત બાદ પુત્રીએ માતાના પ્રેમી સામે હત્યાની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ ગત દિવસોએ પરીણિતા બાળકો અને પ્રેમી સાથે અલગ રહેવા જતી રહી હતી. જે બાદમાં એક દિવસ અચાનક પ્રેમીએ શાકભાજી લેવા જવાનું બહાનુ બતાવી પરીણિતાને લઇ ગયો હતો. જે બાદમાં બાળકોને કહેલ કે, તારી માતાએ
 
ચકચાર@સતલાસણા: પરીણિતાની તેના પ્રેમીએ જ કરી હત્યા, પુત્રીએ નોંધાવી ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા

સતલાસણા તાલુકાના ગામે પરીણિતાના મોત બાદ પુત્રીએ માતાના પ્રેમી સામે હત્યાની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ ગત દિવસોએ પરીણિતા બાળકો અને પ્રેમી સાથે અલગ રહેવા જતી રહી હતી. જે બાદમાં એક દિવસ અચાનક પ્રેમીએ શાકભાજી લેવા જવાનું બહાનુ બતાવી પરીણિતાને લઇ ગયો હતો. જે બાદમાં બાળકોને કહેલ કે, તારી માતાએ ધરોઇ રોડ પાસે ટુંપો ખાઇને મરી ગઇ છે. જેથી ફરીયાદી પુત્રીએ તપાસ કરતાં પ્રેમી જ પોતાની માતાની હત્યા કરી હોવાનુ માની તેની સામે સતલાસણા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના ધરોઇ નજીક ગત દિવસોએ પરીણિતાની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. મૂળ વડનગરના અને હાલ સતલાસણા તાલુકાના વાવ ગામે રહેતાં આરીફા પઠાણ નામની પરીણિતાને વડનગરના અસ્લમખાન પઠાણ સાથે પ્રેમસંબંધ હતા. જોકે મહિલાને 2 બાળકો પણ હોઇ તેમનો પ્રેમી બધાને મીઠા ગામે રહેવા લઇ ગયો હતો. જે બાદમાં 7 મે ના રોજ પરીણિતાને તેનો પ્રેમી શાકભાજી લેવાના બહાને લઇ ગયા બાદ મહિલાની પુત્રીએ ફોન કરી પુછેલ કે મમ્મી ક્યાં છે ? જેથી અસ્લમખાને કહેલ કે, તારી મમ્મી ધરોઇ રોડ પાસે ભાંખરામાં ટુંપો ખાઇને મરી ગઇ છે.

ચકચાર@સતલાસણા: પરીણિતાની તેના પ્રેમીએ જ કરી હત્યા, પુત્રીએ નોંધાવી ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદ મુજબ મહિલા પાસે આત્મહત્યા કરવાનું કોઇ જ કારણ ન હોઇ તેના પ્રેમી જ હત્યા કરી હોવાનુ માની પુત્રી ફરીયાદ નોંધાઇ છે. મહિલાની પુત્રી સહિતના સ્થળ પર પહોંચીને જોતાં જ મહિલા નીચે પડેલી હોઇ 108ને બોલાવતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. જે બાદમાં અંતિમવિધી બાદ મહિલાની પુત્રીએ માતાના પ્રેમી સાથે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે સતલાસણા પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.