ચકચાર@સુરેન્દ્રનગર: કૌટુંબિક ઝઘડામાં ઇસમે સાળીની હત્યાં કરી, PSI પર હુમલો કર્યા બાદ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક થાનગઢ પંથકમાં પત્નિને લેવા ગયેલ પતિએ સાળીની હત્યાં કરી હોવાની ઘટનાથી પંથકમાં હડકંપ મચી ગયો છે. અગાઉ રીસામણે બેસેલ પત્નિને લેવાં પતિ તેની સાસરીમાં પહોંચ્યો હતો. જ્યાં પારિવારીક ઝઘડામાં તેને પોતાની સાળીની હત્યાં કરી નાંખી હતી. આ તરફ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો
 
ચકચાર@સુરેન્દ્રનગર: કૌટુંબિક ઝઘડામાં ઇસમે સાળીની હત્યાં કરી, PSI પર હુમલો કર્યા બાદ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

થાનગઢ પંથકમાં પત્નિને લેવા ગયેલ પતિએ સાળીની હત્યાં કરી હોવાની ઘટનાથી પંથકમાં હડકંપ મચી ગયો છે. અગાઉ રીસામણે બેસેલ પત્નિને લેવાં પતિ તેની સાસરીમાં પહોંચ્યો હતો. જ્યાં પારિવારીક ઝઘડામાં તેને પોતાની સાળીની હત્યાં કરી નાંખી હતી. આ તરફ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો આરોપીને ઝડપી લેવાં ગયેલા PSI ઉપર પણ ઇસમે હુમલો કર્યાની ઘટના બની હતી. જોકે પોલીસે આરોપીને દબોચી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગરના થાનગઢના સરોડી ગામે હત્યાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. સરોડી ગામે રિસામણે રહેલ પત્નીને લેવા ગયેલા પતિએ સાળીની હત્યા કરી નાખી છે. જમાઈ સાથે અન્ય ઈસમો સાસરીયામાં ઘસી આવ્યા હતા અને પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હત્યારાના સાળી સોનલબેન દામજીભાઈ ચાવડાનું મૃત્યું થયું છે. હુમલામાં અન્ય લોકોને ઇજા પહોંચતા થાનગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં દામજીભાઈ રામજીભાઈ ચાવડા, ઉષાબેન દામજીભાઇ ચાવડા અને લલિતભાઈ દામજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.

ચકચાર@સુરેન્દ્રનગર: કૌટુંબિક ઝઘડામાં ઇસમે સાળીની હત્યાં કરી, PSI પર હુમલો કર્યા બાદ ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમોને ઝડપવામાં થાનગઢ PSIને પણ ઈજા પહોંચી છે. હત્યારાએ PSI ઉપર હુમલો કર્યો છતાં પોલીસ આરોપીને પકડી લીધો છે. બનાવના પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો થાનગઢ પહોંચ્યો છે. થાનગઢ પોલીસે ઘટના સ્થળે દોડી જઇને નિવેદનો લઇ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાની લાશનો કબજો લઈ પી.એમ.માટે ખસેડવામાં આવી છે.