ચકચાર@વારાહી: ગુપ્તભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી પતિએ કરી પત્નિની હત્યા

અટલ સમાચાર, વારાહી વારાહીમાં હેવાન પતિએ જ પોતાની પત્નિની હત્યા કરી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગત સોમવારે મોડીરાત્રે પતિ અગમ્ય કારણોસર પત્નિને ઢોર માર મારી અને ગુપ્તભાગ ઉપર ધોકા વડે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર કરી ધારપુર ખસેડવાનું કહેતા પતિએ ના પાડી ઘરે
 
ચકચાર@વારાહી: ગુપ્તભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી પતિએ કરી પત્નિની હત્યા

અટલ સમાચાર, વારાહી

વારાહીમાં હેવાન પતિએ જ પોતાની પત્નિની હત્યા કરી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગત સોમવારે મોડીરાત્રે પતિ અગમ્ય કારણોસર પત્નિને ઢોર માર મારી અને ગુપ્તભાગ ઉપર ધોકા વડે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર કરી ધારપુર ખસેડવાનું કહેતા પતિએ ના પાડી ઘરે લઇ આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે ગુપ્તભાગમાંથી વધુ લોહી વહી જવાથી તેમનું કરૂણ મોત થયુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@વારાહી: ગુપ્તભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી પતિએ કરી પત્નિની હત્યા

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પંથકના લીમગામડા રોડ ઉપરના પારકરવાસમાં પતિએ પત્નિની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. હોળના દિવસને પારકરવાસમાં રહેતા વેરશીભાઇ પરમાભાઇ ઠાકોરે મોડીરાત્રે તેમની પત્નિ શંકુબેનને ઢોર મારી માર્યો હતો. આ દરમ્યાન શંકુબેનના દેરાણી અને તેમના પુત્ર આવી જતાં વેરશીભાઇએ પત્નિના ગુપ્તભાગમાં હાથ નાંખી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો સ્પષ્ટ દેખાતું હતુ. જોકે તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખાનગી વાહનમાં સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શંકુબેનને વારાહી સરકારી દવાખાને લઇ ગયા બાદ તબીબી પ્રાથમિક સારવાર કરી ધારપુર લઇ જવા સુચન કર્યુ હતુ. જોકે શંકુબેનના પતિએ ના પાડી અને તેમને ઘરે લઇ આવ્યા હતા. જોકે ઘુળેટીના દિવસે સવારે ગુપ્તભાગમાંથી વધુ લોહી વહી જવાને કારણે શંકુબેનનું કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે આરોપી પતિ વેરશીભાઇ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.