ચકચાર@ડીસા: લોકડાઉનમાં પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત, કારણ અકબંધ
અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ડીસા તાલુકાના ગામે પ્રેમીપંખીડાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. બંને યુવક-યુવતિએ આંબાના ઝાડ નીચે લટકી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ બંનેના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ ડીસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સાથે આપઘાતનું કારણ જાણવા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કંસારી ગામે પ્રેમી-પંખીડાએ આપઘાત કરી લીધો હતો. કંસારી ગામમાં રાજસ્થાનના પરિવારે ભાગિયા તરીકે બાજરીનું વાવેતર કર્યુ હતુ. જોકે પરિવારની દીકરી અને તેના માસિયાઇ ભાઇ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે આજે બપોરે અચાનક બંને આંબાના ઝાડ નીચે લટકીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઇ ડીસા રૂરલ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.