ફેરફાર@મહેસાણા: મોટા દિલના અને કુશળ SPની બદલી ચોંકાવનારી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની અચાનક બદલી થઇ છે. વહીવટી રીતે કુશળ અને મોટા દિલના એસપીની બદલી ચોંકાવી રહી છે. ગૃહ વિભાગે રાજ્યના ત્રણ આઇપીએસની બદલી કરી છે. મહેસાણાને હવે પોરબંદર એસપી ડો. પાર્થરાજ મળ્યા છે. બદલી અંગે અનેક ચર્ચાઓ જામી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો લોકડાઉન વચ્ચે ગુજરાતમાં
 
ફેરફાર@મહેસાણા: મોટા દિલના અને કુશળ SPની બદલી ચોંકાવનારી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની અચાનક બદલી થઇ છે. વહીવટી રીતે કુશળ અને મોટા દિલના એસપીની બદલી ચોંકાવી રહી છે. ગૃહ વિભાગે રાજ્યના ત્રણ આઇપીએસની બદલી કરી છે. મહેસાણાને હવે પોરબંદર એસપી ડો. પાર્થરાજ મળ્યા છે. બદલી અંગે અનેક ચર્ચાઓ જામી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉન વચ્ચે ગુજરાતમાં ત્રણ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મહેસાણા SP મનિષ સિંઘની બદલી અત્યંત ચોંકાવી રહી છે. કોમળ અને સરળ સ્વભાવના મનિષ સિંઘને દાહોદ SRPF ગ્રૂપ 4ના કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની મહેસાણા બદલી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ ડીસીપી ઝોન 1ના રવિ મોહન સૈનીને પોરબંદરના એસપી તરીકે મૂક્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણેય પોલીસ અધિકારીઓની બદલી વહીવટી કારણોસર રાજ્ય સરકારે કરી છે. જોકે મોટા દિલના અને કર્મચારીઓ પ્રત્યે ખૂબ જ હકારાત્મક તેમજ ગુનાખોરી ઘટાડવામાં કુશળ એવા મનિષ સિંઘની બદલી ચર્ચા બનાવી રહી છે. કડી દારૂકાંડને કારણે બદલી થઇ છે કે કેમ ? આ સવાલો ચર્ચામાં આવી રહ્યા છે.