છોટાઉદેપુરઃ મંદિરમાં જ મહંતે ફાંસો લગાવી કર્યો આપઘાત, પંથકમાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક પાવી જેતપુર તાલુકાના તંબોલિયા કબિર મંદિરના મહંત વિનય સાહેબે મંદિર પરિસરમાં જ ફાંસો લગાવી પોતાના જીવનનો અંત આણ્યો છે. મંદિરમાં જ મહંતે આત્મ હત્યા કરી લીધાની બાબત સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. જોકે તેમના આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કેસમાં
 
છોટાઉદેપુરઃ મંદિરમાં જ મહંતે ફાંસો લગાવી કર્યો આપઘાત, પંથકમાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

પાવી જેતપુર તાલુકાના તંબોલિયા કબિર મંદિરના મહંત વિનય સાહેબે મંદિર પરિસરમાં જ ફાંસો લગાવી પોતાના જીવનનો અંત આણ્યો છે. મંદિરમાં જ મહંતે આત્મ હત્યા કરી લીધાની બાબત સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. જોકે તેમના આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કેસમાં વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે છોટાઉદેપુર ખાતે પાવી જેતપુર તાલુકાના તંબોલિયા કબીર મંદિરના મહંત વિનય સાહેબ મૂળ તો ઝારખંડના રહેવાસી હતા. પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી તે અહીં રહી મંદિરની સેવાઓમાં લાગ્યા રહેતા હતા. તેમણે ગત સાંજે જ મંદિર ખાતે આવેલા પરિસરમાં જ તેમણે પંખા સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે.

તેઓ અહીં પૂજા અર્ચના કરતાં હતા. તેમણે કરેલી આત્મહત્યાની વાત બહાર આવતા જ ચકચાર મચી ગઈ છે. આ આત્મહત્યા અંગે હજુ કોઈ કારણ સામે આવી શક્યું નથી. પોલીસે પોતાની તજવીજ શરૂ કરી છે. પોલીસે તેમનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે. આ માહિતીને પગલે લોકોના ટોળા આવી પહોંચ્યા હતા.