કાંકરેજ: ભલગામ ખાતે ૭૦ માં વન મહોત્સવ ૨૦૧૯ અંતર્ગત વૃક્ષારોપણ કરાયુ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) મારુ બનાસકાંઠા હરિયાળુ બનાસકાંઠા મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ મંડળો દ્ધારા કાંકરેજ તાલુકાના ૧૦ ગામોને આવરી લેવામાં આવ્યા છે. વૃક્ષારોપણની શરુઆત ભલગામ ગામથી ભરતસિંહ વાઘેલા તાલુકા સંયોજક ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકા મામલદાર સાહેબ એમ.ટી.રાજપૂત, તાલુકા ભાજપ પ્રમુખ ડાયાભાઇ
 
કાંકરેજ: ભલગામ ખાતે ૭૦ માં વન મહોત્સવ ૨૦૧૯ અંતર્ગત વૃક્ષારોપણ કરાયુ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

મારુ બનાસકાંઠા હરિયાળુ બનાસકાંઠા મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ મંડળો દ્ધારા કાંકરેજ તાલુકાના ૧૦ ગામોને આવરી લેવામાં આવ્યા છે. વૃક્ષારોપણની શરુઆત ભલગામ ગામથી ભરતસિંહ વાઘેલા તાલુકા સંયોજક ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી.

જેમાં કાંકરેજ તાલુકા મામલદાર સાહેબ એમ.ટી.રાજપૂત, તાલુકા ભાજપ પ્રમુખ ડાયાભાઇ પીલિયાતર, ડેલીકટ મુકેશસિંહ વાઘેલા,ડેલીકટ રમેશભાઈ જોશી,તાલુકા ભાજપ યુવા પ્રમુખ ઝેણુભા,ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અલ્પેશભાઈ બકોલા,ચૌધરી સાહેબ અને વિક્રમસિંહ વાઘેલા,વિજુભા વાઘેલા ભલગામ સરપંચ,જેસાજી ઠાકોર ડેપ્યુટી સરપંચ ભલગામ,પુનમસિંહ રતુભા વાઘેલા,રંગાજી ઠાકોર રાઠોડવાસ સરપંચ તથા તાલુકા ભાજપના આગેવાનો આજુબાજુના ગામના સ્વામી વિવેકાનંદ મંડળ યુવાનો,વડીલો આગેવાનો અને યુવાનો તથા શાળાના શિક્ષકગણ,વિદ્યાર્થીઓ ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.