રસોઇઃ આ જન્માષ્ટમી બનાવો સ્પેશ્યલ નાળિયેર મલાઈના લાડુ

અટલ સમાચાર, ડેસ્ક સાતમ આઠમમાં આમ તો બધાના ઘરે નાસ્તો અને મીઠાઈ સામાન્ય રીતે બનતી જ હોય છે. તેમાં પણ નાળિયેરના લાડુ તો બધાના ઘરે બનતા જ હોય છે તો આજે અમે આ લાડુમાં નવો ટેસ્ટ લઈને આવ્યા છીએ મલાઈ નાળિયેરના લાડુ તો ચાલો જાણીએ રીત: અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સામગ્રી:
 
રસોઇઃ આ જન્માષ્ટમી બનાવો સ્પેશ્યલ નાળિયેર મલાઈના લાડુ

અટલ સમાચાર, ડેસ્ક

સાતમ આઠમમાં આમ તો બધાના ઘરે નાસ્તો અને મીઠાઈ સામાન્ય રીતે બનતી જ હોય છે. તેમાં પણ નાળિયેરના લાડુ તો બધાના ઘરે બનતા જ હોય છે તો આજે અમે આ લાડુમાં નવો ટેસ્ટ લઈને આવ્યા છીએ મલાઈ નાળિયેરના લાડુ તો ચાલો જાણીએ રીત:

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી:

૧૫૦ ગ્રામ સૂકું કોપરાનું બૂરું

૨૦૦ ગ્રામ મિલ્કમેડ

૧ કપ તાજી મલાઈ

૧/૫ કપ ગાયનું દૂધ

૧ ટેબલ સ્પૂન એલચી પાવડર

૫ ટેબલસ્પૂન મિલ્ક પાવડર

૧ નાની ટેબલસ્પૂન કેસર

ચાંદીની વરખ

બનાવવાની રીત:

સૌથી પહેલા ટોપરાનું બૂરું લો તેમાં મિલ્કમેડ પાવડર, મિલ્કપાવડર, દૂધ, એલચી પાવડર ઉમેરો ત્યારબાદ એક પેનમાં ઘી લો તેમાં આ મિશરન ઉમેરી લો અને તેને ધીમા આંચ પર શેકી લો. આછા ગુલાબી રંગ થવા સુધી આ મિશ્રણને શેકી લો. અને તેના નાના નાના લાડુ બનાવી લો. લાડુ થયા બાદ તેને કેસર વડે ગાર્નિશ કરો. તૈયાર છે નાલિળેરના લાડું.