કોરોના@દેશઃ 24 કલાકમાં 12,408 કેસ નોંધાયા, 120ના મોત, કુલ મૃત્યુઆંક 1,54,823

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના સામે રિકવરી રેટ સુધરીને 97.2 ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં 50 લાખની આસપાસ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. નોંધનીય છે કે, 10 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 24 કલાકમાં એક પણ મોત નથી થયું. આ ઉપરાંત 4 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ કેસ નોંધાયો નથી. દેશમાં અત્યાર સુધીમાં
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 12,408 કેસ નોંધાયા, 120ના મોત, કુલ મૃત્યુઆંક 1,54,823

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના સામે રિકવરી રેટ સુધરીને 97.2 ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં 50 લાખની આસપાસ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. નોંધનીય છે કે, 10 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 24 કલાકમાં એક પણ મોત નથી થયું. આ ઉપરાંત 4 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ કેસ નોંધાયો નથી.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 49,59,445 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,408 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,02,591 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 4 લાખ 96 હજાર 308 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 15,853 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,51,460 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 97 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,54,823 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 19,99,31,795 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં માત્ર 7,15,776 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.