કોરોના@દેશ: એક જ દિવસમાં 36,594 નવા કેસ, 540 દર્દીનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,594 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 540 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 95,71,559 થઈ ગઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો નોંધનીય છે કે, દેશમાં
 
કોરોના@દેશ: એક જ દિવસમાં 36,594 નવા કેસ, 540 દર્દીનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,594 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 540 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 95,71,559 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 90 લાખ 16 હજાર 289 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,916 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,16,082 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,39,188 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 3 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 14,47,27,749 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 11,70,102 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.