કોરોના@દેશ: 24 કલાકમાં 41,322 કેસ, અત્યારસુધી 1.36 લાખ લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક શનિવારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરના વાયરસ ના નવા 41,322 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલા જ એટલે કે 41,452 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 485 લોકોએ જીવ ગુમાવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
કોરોના@દેશ: 24 કલાકમાં 41,322 કેસ, અત્યારસુધી 1.36 લાખ લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

શનિવારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરના વાયરસ ના નવા 41,322 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલા જ એટલે કે 41,452 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 485 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિગતે વાત કરીએ તો દેશમાં 41 હજાર નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 93,51,109 થઈ છે. જ્યારે દેશમાં હાલ કુલ સક્રિય કેસ 4,54,940 થયા છે. સાજા થયેલા લોકોની વાત કરીએ તો અત્યાર સુધી 87,59,969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં સાજા થવાનો દર 93.7 ટકાએ પહોંચ્યો છે.

અત્યાર સુધી દેશમાં કોરોનાને પગલે 1,36,200 લોકોએ જીવ ગુમાવ્યો છે. ટેસ્ટની વાત કરીએ છે નવેમ્બર 27ના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ 11,57,605 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યારસુધી દેશમાં કોરોનાના 13,82,20,354 સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે.

રાજ્યમાં શુક્રવારે કોરોના વાયરસના1,607 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,388 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,938 થયો છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કુલ કેસ 20,51,16 નોંધાયા છે. જેમાંથી હાસ એક્ટિવ કેસ 14,732 છે.