કોરોના@દેશ: 24 કલાકમાં 43,082 કેસ, 492ના મોત, કુલ 93 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વેક્સીનના ટ્રાયલ અને તે ક્યાં સુધીમાં ઉપલબ્ધ થશે તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ કોરોના સંક્રમણના કેસો 93 લાખથી વધી ગયા છે. રાહતની બાબત એ છે કે હાલમાં 4.55 લાખ જ એક્ટિવ કેસો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 43,082
 
કોરોના@દેશ: 24 કલાકમાં 43,082 કેસ, 492ના મોત, કુલ 93 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વેક્સીનના ટ્રાયલ અને તે ક્યાં સુધીમાં ઉપલબ્ધ થશે તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ કોરોના સંક્રમણના કેસો 93 લાખથી વધી ગયા છે. રાહતની બાબત એ છે કે હાલમાં 4.55 લાખ જ એક્ટિવ કેસો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 43,082 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 492 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 93,09,788 થઈ ગઈ છે.

ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 87 લાખ 18 હજાર 517 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં 4,55,555 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,35,175 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ 13,70,62,749 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 11,31,204 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.