કોરોના@દેશઃ એક દિવસમાં 45,149 કેસ, 480ના મોત, કુલ 79.9 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક સપ્તાહના પ્રથમ દિવસે કોરોના સંક્રમણના મામલે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોવિડ-19 સંક્રમણના 50 હજારથી ઘણા ઓછા કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક પણ 500ની નીચે નોંધાયો છે. પરંતુ કુલ સંક્રમિતોનો આંક 79 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,149 નવા
 
કોરોના@દેશઃ એક દિવસમાં 45,149 કેસ, 480ના મોત, કુલ 79.9 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

સપ્તાહના પ્રથમ દિવસે કોરોના સંક્રમણના મામલે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોવિડ-19 સંક્રમણના 50 હજારથી ઘણા ઓછા કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક પણ 500ની નીચે નોંધાયો છે. પરંતુ કુલ સંક્રમિતોનો આંક 79 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,149 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 480 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,09,960 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 71 લાખ 37 હજાર 229 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,53,717 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,014 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,34,62,778 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 9,39,309 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધતા જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 919 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 167173 કોરોના કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 7 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 3689એ પહોંચ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 13,936 એક્ટિવ કેસ છે જેમાં 65 કેસ વેન્ટિલેટર ઉપર છે જ્યારે 13,871 કેસ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,49,548 લોકોને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે.