કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 49,881 કેસ, 517ના મોત, કુલ 80.40 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા કુલ દર્દીઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 1.20 લાખથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 49,881 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 517 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 49,881 કેસ, 517ના મોત, કુલ 80.40 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા કુલ દર્દીઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 1.20 લાખથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 49,881 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 517 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 80,40,203 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 73 લાખ 15 હજાર 989 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,03,687 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,20,527 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 28 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,65,63,440 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 10,75,760 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 28મી ઑક્ટોબરે કોરોના વાયરસના 980 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1107 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 6 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 1,70,053 એ પહોંચી ગયો છે.