કોરોના@દેશઃ 24 કલાકમાં 54,366 કેસ, 690ના મોત, કુલ 77.61 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 78 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1.17 લાખને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 690 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 54,366 કેસ, 690ના મોત, કુલ 77.61 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 78 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1.17 લાખને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 690 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 77,61,312 થઈ ગઈ છે.

વિશેષમાં, ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 69 લાખ 48 હજાર 497 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,95,509 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,17,306 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.  આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 22 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,01,13,085 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 14,42,722 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1136 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1201 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3670 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 231 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,64,121નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,143 છે. આજે રાજ્યમાં કુલ 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.15 ટકા છે.