કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 82,170 કેસ, 1,039ના મોત, કુલ 60.74 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરાતું હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમિત થયેલા લોકોની સંખ્યા હવે 60 લાખના આંકડાને પાર કરી ગઈ છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ 95 હજારથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 82,170 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 82,170 કેસ, 1,039ના મોત, કુલ 60.74 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરાતું હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમિત થયેલા લોકોની સંખ્યા હવે 60 લાખના આંકડાને પાર કરી ગઈ છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ 95 હજારથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 82,170 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 કારણે 1,039 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 60,74,703 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 50 લાખ 16 હજાર 521 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,62,640 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 95,542 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 27 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 7,19,67,230 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 7,09,394 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1411 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1231 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 10 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3419 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 132119 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,660 છે. આજે રાજ્યમાં કુલ 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 84.93 ટકા છે.