કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1136 કેસ, 24ના મોત, કુલ 62,574 દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1136 નવા કેસ નોંધાયા છે. જેની સામે 875 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 24 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં262 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 62,574 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,327 છે. રાજ્યમાં અત્યારે કુલ
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1136 કેસ, 24ના મોત, કુલ 62,574 દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1136 નવા કેસ નોંધાયા છે. જેની સામે 875 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 24 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં262 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 62,574 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,327 છે. રાજ્યમાં અત્યારે કુલ 14,327 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 78 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,249 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 45,782 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 262, અમદાવાદમાં 146, વડોદરામાં 95, રાજકોટમાં 87, મહેસાણા, ભાવનગરમાં 46-46, જામનગર, જૂનાગઢમાં 42-42, ગીર સોમનાથમાં 37, દાહોદમાં 30, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 29-29, ખેડા, કચ્છમાં 20-20, નર્મદામાં 19, બનાસકાંઠા, વલસાડમાં 17-17, ભરૂચ, મોરબીમાં 16-16, પાટણમાં 14, બોટાદમાં 13, આણંદ, સાબરકાંઠામાં 12-12, અમરેલી, મહીસાગર, નવસારીમાં 11-11, પોરબંદરમાં 10, પંચમહાલમાં 9, છોટા ઉદેપુરમાં 7, દેવભૂમિ દ્વારકામાં 4, અરવલ્લીમાં 3, જ્યારે ડાંગ, જામનગરમાં 2-2 કેસ સહિત કુલ 1136 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 24 દર્દીના મોત થયા છે. જેમાં સુરતમાં 12, અમદાવાદમાં 4, મહેસાણા, વડોદરામાં 2-2, જ્યારે જૂનાગઢ, નવસારી, પાટણ અને પોરબંદરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2465 થયો છે. બીજી તરફ સુરતમાં 187, અમદાવાદમાં 117, વડોદરા, ગાંધીનગરમાં 85-85, પાટણમાં 64, રાજકોટમાં 43સહિત કુલ 875 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.