કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1137 કેસ, 9ના મોત, કુલ 1.45 લાખ દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 239, અમદાવાદમાં 177, વડોદરામાં 118, રાજકોટમાં 104, જામનગરમાં 65, મહેસાણામાં 48, કચ્છમાં 26, પંચમહાલમાં 22, અમરેલીમાં 19, બનાસકાંઠા 16, સાબરકાંઠામાં 22 , મોરબીમાં 9, સુરેન્દ્રનગરમાં 20 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 46, જૂનાગઢમાં 26, પાટણમાં 26, ગીરસોમનાથમાં 11, નર્મદામાં 19, ભાવનગરમાં 12, દાહોદમાં 23, આણંદ 13, બોટાદ 4, 3,
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1137 કેસ, 9ના મોત, કુલ 1.45 લાખ દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 239, અમદાવાદમાં 177, વડોદરામાં 118, રાજકોટમાં 104, જામનગરમાં 65, મહેસાણામાં 48, કચ્છમાં 26, પંચમહાલમાં 22, અમરેલીમાં 19, બનાસકાંઠા 16, સાબરકાંઠામાં 22 , મોરબીમાં 9, સુરેન્દ્રનગરમાં 20 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 46, જૂનાગઢમાં 26, પાટણમાં 26, ગીરસોમનાથમાં 11, નર્મદામાં 19, ભાવનગરમાં 12, દાહોદમાં 23, આણંદ 13, બોટાદ 4, 3, ખેડામાં 12, દેવભૂમિ દ્વારકામાં 5, છોટાઉદેપુર 5, મહીસાગરમાં 7, નવસારીમાં 4, અરવલ્લી 7, તાપીમાં 4, વલસાડમાં 1, ડાંગમાં 1 મળીને કુલ 1137 કેસ નોંધાયા છે.

રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ 14215 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 75 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14410 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,45,107 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3663દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દરમિયાન રાજ્યમાં આજે 52,968 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યનો રિકવરી દર 89.03 ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, વડોદરામાં 1 અને બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1, ગીરસોમનાથમાં 1 મળીને કુલ 9 દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં 172 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વઘુ થયા છે.