કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1332 કેસ, 15ના મોત, 1415 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1332 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1415 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 109627 છે. જેમાંથી એક્ટિવ
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1332 કેસ, 15ના મોત, 1415 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1332 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1415 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 109627 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,230 છે. આજે રાજ્યમાં કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 82.31 ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 278, અમદાવાદમાં 167, રાજકોટમાં 150, વડોદરામાં 124, જામનગરમાં 105, ભાવનગરમાં 64, ગાંધીનગરમાં 38, જૂનાગઢમાં 37, પાટણમાં 31, અમરેલી, પંચમહાલમાં 30-30, મોરબીમાં 27, જામનગર, મહેસાણામાં 25-25, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 24-24, મહીસાગરમાં 21, કચ્છમાં 20, દાહોદમાં 18, ગીર સોમનાથમાં 15, બોટાદમાં 14, નવસારીમાં 11, છોટા ઉદેપુર, ખેડા, સાબરકાંઠામાં 10-10, બનાસકાંઠામાં 9, પોરબંદર, નર્મદામાં 8, આણંદ, તાપીમાં 7-7, દેવભૂમિ દ્વારકામાં 5, અરવલ્લીમાં 3, વલસાડમાં 2 સહિત કુલ 1332 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, સુરતમાં 4-4, અમરેલીમાં 2 જ્યારે ગાંધીનગર, વડોદરા, જામનગર, રાજકોટ, સાબરકાંઠામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 334, અમદાવાદમાં 134, રાજકોટમાં 128, વડોદરામાં 166, જામનગરમાં 201 સહિત કુલ 1415 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. જ્યમાં અત્યારે કુલ 16,230 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 91 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,139 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 90,230 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.