કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1344 કેસ, 16ના મોત, કુલ 1,10971 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1344 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1240 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3183 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 275 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 110971 છે. જેમાંથી એક્ટિવ
 
કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1344 કેસ, 16ના મોત, કુલ 1,10971 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1344 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1240 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3183 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 275 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 110971 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,318 છે. આજે રાજ્યમાં કુલ 71,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 82.43 ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 275, અમદાવાદમાં 174, રાજકોટમાં 150, વડોદરામાં 132, જામનગરમાં 116, ભાવનગરમાં 45, ગાંધીનગરમાં 40, જૂનાગઢમાં 35, પાટણમાં 30, મોરબી, પંચમહાલમાં 29-29, અમરેલીમાં 26, ભરુચ, કચ્છમાં 25-25, મહેસાણામાં 24, સુરેન્દ્રનગરમાં 22, દાહોદમાં 20, બનાસકાંઠામાં 19, આણંદ, મહીસાગરમાં 16-16, ગીર સોમનાથ, સાબરકાંઠામાં 13-13, નર્મદામાં 10, ખેડા, તાપીમાં 9-9, બોટાદ, છોટા ઉદેપુર, નવસારીમાં 8-8, અરવલ્લીમાં 6, દેવબૂમિ દ્વારકામાં 5, વલસાડમાં 4, પોરબંદરમાં 2 અને ડાંગમાં 1 સહિત કુલ 1344 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં 2-2, બનાસકાંઠા, ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 242, અમદાવાદમાં 127, વડોદરામાં 150, જામનગરમાં 114 સહિત કુલ 1240 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 16,318 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 94 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,224 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 91,470 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.