કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1365 કેસ, 15ના મોત, કુલ 1,12,336 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1365 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1335 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3198 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે.
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1365 કેસ, 15ના મોત, કુલ 1,12,336 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1365 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1335 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3198 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 112336 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,333 છે. આજે રાજ્યમાં કુલ 74,781ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 82.61 ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 278, અમદાવાદમાં 175, રાજકોટમાં 146, વડોદરામાં 123, જામનગરમાં 125, ભાવનગરમાં 41, ગાંધીનગરમાં 37, જૂનાગઢમાં 39, પાટણમાં 31, પંચમહાલમાં 29, મોરબીમાં 28, બનાસકાંઠામાં 26, અમરેલીમાં 25, દાહોદમાં 20, ભરુચ, તાપી, સુરેન્દ્રનગરમાં 19-19, કચ્છમાં 18, ગીર સોમનાથ, નવસારીમાં 15-15, નર્મદામાં 14, બોટાદ, મહીસાગર, સાબરકાંઠામાં 10-10, દેવભૂમિ દ્વારકા, ખેડામાં 9-9, વલસાડમાં 7, આણંદ, પોરબંદરમાં 6-6, છોટા ઉદેપુરમાં 4 અને અરવલ્લીમાં 2 સહિત કુલ 1365 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, રાજકોટ, ભાવનગરમાં 2-2 જ્યારે ગીર સોમનાથ, વડોદરા અને ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 276, અમદાવાદમાં 141, વડોદરામાં 103, જામનગરમાં 133 સહિત કુલ 1335 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 16,333 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 90 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,243 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 92,805 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.