કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1411 કેસ, 10ના મોત, 1231 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક આજે રાજ્યમાં 1411 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1231 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1411 કેસ, 10ના મોત, 1231 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

આજે રાજ્યમાં 1411 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1231 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 928.57 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42,32,408 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1411 કેસ નોંધાયા છે જ્યારે 1231 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.93% ટકા છે.

કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1411 કેસ, 10ના મોત, 1231 દર્દીઓ સાજા થયા
જાહેરાત

એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16660 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 16574 લોકો સ્ટેબલ છે. 113140 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3419 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 1, જુનાગઢ કોર્પોરેશન 1, રાજકોટ 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 10 લોકોનાં મોત નિપજ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,05,868 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,05,420 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 448 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.