કોરોના@ગુજરાત: એક જ દિવસમાં 1487 કેસ, 17ના મોત, કુલ 1.81 લાખ દર્દીઓ

અટલ સમાચાર ડેસ્ક રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો
 
કોરોના@ગુજરાત: એક જ દિવસમાં 1487 કેસ, 17ના મોત, કુલ 1.81 લાખ દર્દીઓ

અટલ સમાચાર ડેસ્ક

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1487 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1234 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,81,187 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.09 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1069.55 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 73,04,705 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13,836 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 89 છે. જ્યારે 13,747 લોકો સ્ટેબલ છે. 1,81,187 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3876 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 13, મોરબી 1, સુરત કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દી સહિત કુલ 17 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.