કોરોના@ગુજરાત: 24 કલાકમાં 1560 નવા કેસ, 16 દર્દીઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1560 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1302 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3922 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 20,35,09 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,529 છે. રાજ્યમાં અત્યારે કુલ 14,529 દર્દીઓ એક્ટિવ
 
કોરોના@ગુજરાત: 24 કલાકમાં 1560 નવા કેસ, 16 દર્દીઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1560 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1302 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3922 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 20,35,09 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,529 છે. રાજ્યમાં અત્યારે કુલ 14,529 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,439 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,85, 058 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 361, સુરતમાં 289, વડોદરામાં 180, રાજકોટમાં 138, ગાંધીનગરમાં 70, પાટણમાં 64, જામનગરમાં 45, બનાસકાંઠામાં 41, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદ, ખેડામાં 28-28, મહીસાગરમાં 26, જૂનાગઢમાં 24, દાહોદમાં 23, ભરુચ, કચ્છમાં 21-21, અમરેલી, મોરબી, સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17, નર્મદામાં 10, ભાવનગરમાં 8, ગીર સોમનાથમાં 7, અરવલ્લી, નવસારીમાં 6-6 સહિત કુલ 1560 કેસ નોંધાયા છે.

આજે રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 12, સુરતમાં 3 જ્યારે વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 357, સુરતમાં 195, વડોદરામાં 208, રાજકોટમાં 143, પાટણમાં 52, મહેસાણામાં 31 સહિત કુલ 1302 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.