કોરોના@મહેસાણા: આજે નવા 31 લોકો પોઝિટીવ, 24 દર્દી સાજા થતાં રજા અપાઇ
અટલ સમાચાર, મહેસાણા
દિવાળીના તહેવારો બાદથી દરરોજ ડબલ આંકડામાં નવા કેસો આવવાની વચ્ચે આજે નવા 31 દર્દી ઉમેરાયાં છે. આ તરફ જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 24 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા સહિત સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરાઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 31 કેસ નોંધાયા છે. આ તરફ 24 કોરોનાગ્રસ્ત દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ અને દિવાળીમાં આવન-જાવન બેફામ બનતાં લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી છે. રહ્યા છે. આજે મહેસાણા શહેરમાં 11 કેસ, વિસનગર, ઊંઝા, વિજાપુર અને કડીમાં 1-1 કેસ નોંધાયા છે.
સૂત્રો જણાવ્યું હતુ કે, આજે મહેસાણા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 16 કેસ નોંધાયા છે. મહેસાણા તાલુકાના બામોસણા અને ચિત્રોડીપુરામાં 1-1, આંબલીયાસણમાં 3, બાલીસયાસણા અને પાંચોટ(OG)માં 2-2 કેસ, વિસનગરના કડામાં 2, રંગાકુઇ, લાછડી, જેતલવાસણામાં 1-1 અને કાંસા એનએ વિસ્તારમાં 2 કેસ મળી જીલ્લામાં કુલ 31 કેસ નોંધાયા છે.