દેશઃ આ યોજનાથી 1 કરોડ ગરીબોને મળ્યો લાભ, PM મોદીએ આપી જાણકારી

અટલ સમાચાર, ડેસ્ક મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના દ્વારા અત્યાર સુધી એક કરોડ ગરીબોને લાભ મળ્યો છે. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સોશિયલ મીડિયા પર આપી છે. અત્રે જણાવવાનું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના ગરીબોને ઉત્તમ સારવાર માટે આર્થિક મદદ અપાય છે. આ સ્કીમ હેઠળ ગરીબોને 5 કરોડ રૂપિયા સુધીની સારવાર વિના
 
દેશઃ આ યોજનાથી 1 કરોડ ગરીબોને મળ્યો લાભ, PM મોદીએ આપી જાણકારી

અટલ સમાચાર, ડેસ્ક

મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના દ્વારા અત્યાર સુધી એક કરોડ ગરીબોને લાભ મળ્યો છે. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સોશિયલ મીડિયા પર આપી છે. અત્રે જણાવવાનું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના ગરીબોને ઉત્તમ સારવાર માટે આર્થિક મદદ અપાય છે. આ સ્કીમ હેઠળ ગરીબોને 5 કરોડ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે આપવાની ગેરંટી આપવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓની સંખ્યા એક કરોડને પાર કરી ગઈ છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં આ પહેલની આટલા લોકો પર સકારાત્મક અસર પડી છે. હું તમામ લાભાર્થીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવું છું. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.’

પીએમ મોદીએ લખ્યું કે, ‘આયુષ્યમાન ભારતનો સૌથી મોટો લાભ પોર્ટેબિલિટી છે. લાભાર્થી જ્યાં રજિસ્ટર્ડ છે ત્યાં જ નહીં પરંતુ ભારતના અન્ય ભાગોમાં પણ સારી અને સસ્તી ચિકિત્સા સેવા પ્રાપ્ત કરી શકે છે. જે લોકો ઘરથી દૂર કામ કરે છે તેમને પણ તે મદદ કરે છે.’ પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પોતાની મુસાફરી દરમિયાન આ યોજનાનો લાભ મેળવનારા લોકો સાથે વાતચીત કરશે. તેમણે લખ્યું કે, ‘મારી અધિકૃત યાત્રાઓ દરમિયાન હું આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશ. અફસોસની વાત છે કે હાલના દિવસોમાં તે શક્ય નથી. પરંતુ મેઘાલયની પૂજા જાપ કે જેઓ 1 કરોડના લાભાર્થીઓમાંથી એક છે તેમની સાથે મારી ટેલિફોન પર શાનદાર વાત થઈ.’