દેશ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના લેખકે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખકો પૈકીના એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી દીધી છે, જેની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. અભિષેક લાંબા સમયથી આ સીરિયલ માટે લેખક તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા સામે આવી રહેલી જાણકારી મુજબ અભિષેકે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે
 
દેશ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના લેખકે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખકો પૈકીના એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી દીધી છે, જેની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. અભિષેક લાંબા સમયથી આ સીરિયલ માટે લેખક તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા સામે આવી રહેલી જાણકારી મુજબ અભિષેકે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે જેમાં તેણે ‘આર્થિક પરેશાનીઓ’નો ઉલ્લેખ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અભિષેકે ગત સપ્તાહે આત્મહત્યા કરી હતી અને તેના પરિવારનો આરોપ છે કે તે સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યો હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. મુંબઈ મિરરના અહેવાલ મુજબ, અભિષેકના પરીવારના સભ્યો એન દોસ્તોનો આરોપ છે કે તેના મોત બાદથી જ તેની સાથે છેતરપિંડી કરનારાઓ તરફથી સતત ફોન આવી રહ્યા છે કે તેમના પૈસા પરત કરી દો કારણ કે અભિષેકે તેમને લોનમાં ગેરંટર બનાવ્યા હતા.

અભિષેક મકવાણા 27 નવેમ્બરે પોતાના કાંદિવલીના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ ચારકોપ પોલીસે આ મામલામાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ મામલામાં પરિવારના નિવેદન નોંધવામાં આવ્યા છે.