દેશઃ જાણીલો મોદી સરકાર મહત્વના આ 5 નિયમો 1 માર્ચથી થશે લાગુ

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં 1 માર્ચથી મોટા બદલાવ આવી રહ્યા છે. મોદી સરકાર 5 નવા નિયમોને લાગુ કરવાની છે જેની સીધી અસર લોકો પર પડશે. જે લોકોના બેંકમાં એકાઉન્ટ છે તેમણે આ નવા નિયમો ખાસ જાણવા જોઈએ. આ નિયમોના કારણે સામાન્ય લોકોની અર્થવ્યવસ્થામાં મોટા બદલાવ આવશે. 1. એલપીજીની કિંમતમાં ઘટાડો હોળી પહેલાં લોકોને એલપીજીની કિંમતમાં
 
દેશઃ જાણીલો મોદી સરકાર મહત્વના આ 5 નિયમો 1 માર્ચથી થશે લાગુ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં 1 માર્ચથી મોટા બદલાવ આવી રહ્યા છે. મોદી સરકાર 5 નવા નિયમોને લાગુ કરવાની છે જેની સીધી અસર લોકો પર પડશે. જે લોકોના બેંકમાં એકાઉન્ટ છે તેમણે આ નવા નિયમો ખાસ જાણવા જોઈએ. આ નિયમોના કારણે સામાન્ય લોકોની અર્થવ્યવસ્થામાં મોટા બદલાવ આવશે.

1. એલપીજીની કિંમતમાં ઘટાડો

હોળી પહેલાં લોકોને એલપીજીની કિંમતમાં ઘટાડાની રાહત મળી શકે છે. આખા દેશમાં દર મહિને એલપીજીની કિંમત બદલાય છે. મોટી ઓઇલ કંપનીઓ દર મહિને એલપીજીની કિંમતમાં ફેરફાર કરે છે. આ વખતે કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

2. બેંક એકાઉન્ટ થઈ શકે છે બ્લોક

જો તમારું ખાતું એસબીઆઇ (SBI)માં હોય તો કેવાયસી હોવું બહુ જરૂરી છે. એસબીઆઇએ ખાતાધારકોને આ મુદ્દે એસએમએસ પણ મોકલ્યો છે. બેંકે આપેલી માહિતી પ્રમાણે કસ્ટરર્સ માટે કેવાયસીની પ્રક્રિયા પુરી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. જો તમે આ તારીખ સુધી પ્રક્રિયા પુરી નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ પણ થઈ શકે છે.

3. લોટરીના નિયમમાં બદલાવ

1 માર્ચથી લોટરી પર 28 ટકા જીએસટી લાગશે. જીએસટી કાઉન્સિલે ગયા વર્ષે આ નિર્ણય લીધો છે.

4. નવો એટીએમ નિયમ

આરબીઆઇએ એટીએમ કાર્ડ સાથે જોડાયેલો નવો નિયમ જાહેર કર્યો છે. આરબીઆઇએ બેંકોને માત્ર ડોમેસ્ટિક કાર્ડનો એટીએમમાં ઉપયોગ કરવા માટે કહ્યું છે. આરબીઆઇએ કહ્યું છે કે ઇન્ટરનેશનલ લેવડદેવડ માટે અલગ મંજૂરી લેવી પડશે.

5. 2000ની નોટ વિશે નિર્ણય

ભારતીય બેંક ખાતાધારકો માટે મોટો બદલાવ છે. હવે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ બહાર નહીં આવે. ઇન્ડિયન બેંક દ્વાર આપવામાં આવેલી માહિતી પ્રમાણે એટીએમમાં 2000 રૂપિયાની નોટ નીકળવાનો વિકલ્પ બંધ થઈ જશે કારણ કે આ નોટ માર્કેટમાં ચલાવવામાં ગ્રાહકોને બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે.