ક્રાઇમ: બનેવી સાથે ઝઘડા બાદ યુવકની હત્યા, ચાકુનાં ઘા મારી પતાવી નાખ્યો

અટલ સમાચાર,ડેસ્ક સુરત ના લિંબાયત વિસ્તારમાં એક યુવાનને સૂતેલી હાલતમાં જ ત્રણ જણાંએ ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ યુવકનો બનેવી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે યુવાન બનેવીના ભાઈ સહિત ત્રણ જણા સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવી સૂઈ ગયો હતો. દરમિયાન બનેવીના ભાઈ સહિત ત્રણ યુવાનોએ
 
ક્રાઇમ: બનેવી સાથે ઝઘડા બાદ યુવકની હત્યા, ચાકુનાં ઘા મારી પતાવી નાખ્યો

અટલ સમાચાર,ડેસ્ક

સુરત ના લિંબાયત વિસ્તારમાં એક યુવાનને સૂતેલી હાલતમાં જ ત્રણ જણાંએ ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ યુવકનો બનેવી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે યુવાન બનેવીના ભાઈ સહિત ત્રણ જણા સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવી સૂઈ ગયો હતો. દરમિયાન બનેવીના ભાઈ સહિત ત્રણ યુવાનોએ યુવાને તેના ઝૂંપડામાં આવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે બનાવની જાણકારી મળતા લીંબાયત પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને માત્ર પંદર દિવસ અગાઉ સુરતમાં આવેલા અને લિંબાયત નીલગીરી સર્કલ પાસે સંજય નગર સર્કલ તરફ જતા રોડ ઉપર ફૂટપાથ ઉપર ઝુંપડું બાંધીને રહેતો 27 વર્ષીય મશીંદર શંકર ભોંસલે ભંગાર વીણવાનું કામ કરતો હતો. ભોસલે પરિવાર સાથે પહેલી પત્નીના બે સંતાન બીજી પત્ની સાથે રહેતો હતો. મશીંદરની બહેન નંદિનીના લગ્ન તેના મોટાભાઈના સાળા આનંદ વામન પવાર સાથે થયા હતા. આનંદ નંદિનીને મારઝૂડ કરતો હોય તે 15 દિવસ અગાઉ જ મશીંદરના ઘરે રહેવા આવી ગઈ હતી અને મશીંદર તેને પરત મોકલતો ન હતો. ગત રોજ બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે બનેવીના ભાઈ દિનેશ, તેજા અને રામાં સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવીને સૂઈ ગયો હતો.

આ દરમ્યાન મશીંદરના ભાઈ અનિલે જણાવ્યું હતું કે, ગત રોજ બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે બનેવીના ભાઈ દિનેશ, તેજા અને રામાં સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવીને સૂઈ ગયો હતો. દરમિયાન આ ત્રણેય જણાએ રાત્રે ઝૂંપડામાં ઘૂસી મશીંદરને છાતી અને ગળા પર ચપ્પુ ઘા મારી પતાવી દીધો હતો. મશીંદર તેની પત્ની સંજીવની, માતા કમલાબેન ઝૂપડામાં સુતા હતા તે સમયે આનંદ, તેનો ભાઈ ઈનેશ અને બે મિત્રો તેજા પ્રકાશ શીંદે, રામા પ્રકાશ શીંદે ઝૂપડામાં ઘૂસી ગયા હતા.

આ ત્રણેય ઇસમોએ મશીંદરના માથા ઉપર આનંદ અને ઈનેશે બેસી જઈ આનંદે કેમ નંદિનીને મારા ઘરે મોકલતો નથી કહી તીક્ષ્‍ણ હથિયાર વડે ગળાના ભાગે ઉપરાઉપરી ત્રણ ઘા મારી દીધા હતા. તે સમયે તેજા અને રામાએ મશીંદરના પગ પકડી રાખ્યા હતા અવાજ સાંભળી જાગી ગયેલા સંજીવની અને કમલાબેન પૈકી કમલાબેને મશીંદરને બચાવવા પ્રયાસ કરતા આનંદે તેમના માથામાં પણ ચપ્પુના ઘા માર્યા હતા અને બાદમાં ચારેય ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મશીંદરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં બનાવ વાળી જગ્યા પર દોડી ગયેલી લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી ચારેયને આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.