ક્રાઇમ@સાઠંબા: બંધ મકાનમાં ત્રાટક્યાં તસ્કરો, 1.70 લાખના દાગીના ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા અરવલ્લીના સાઠંબામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી બંધ હાલતમાં રહેલ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકોએ ઘરમાલિકને જાણ કરતાં તેઓ અમદાવાદથી તાત્કાલિક આવી પહોંચી તપાસ કરતાં ઘરની તિજોરીમાંથી 1,70,000ના દાગીનાની ચોરી થયાનું સામે આવ્યુ
 
ક્રાઇમ@સાઠંબા: બંધ મકાનમાં ત્રાટક્યાં તસ્કરો, 1.70 લાખના દાગીના ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

અરવલ્લીના સાઠંબામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી બંધ હાલતમાં રહેલ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકોએ ઘરમાલિકને જાણ કરતાં તેઓ અમદાવાદથી તાત્કાલિક આવી પહોંચી તપાસ કરતાં ઘરની તિજોરીમાંથી 1,70,000ના દાગીનાની ચોરી થયાનું સામે આવ્યુ છે. જેથી પોલીસે અજાણ્યાં ઇસમો સામે ગુનો આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લાના સાંઠબામાં ચોરીની ઘટના સામે આવી છે. મૂળ સાંઠબાના હિતેન્દ્રસિંહ ખુમાનસિંહ ચાવડા હાલ અમદાવાદ રહે છે. ગત 17 ફેબ્રુઆરી 2021થી તેઓ પોતાનું સાઠંબા ગામે ગાબટ રોડ પરના અંબિકા ગાર્ડનના મકાનને તાળું મારી અમદાવાદ જતાં રહ્યા હતા. આ દરમ્યાન આજે તેમના પાછળ રહેતાં ભુપેન્દ્રભાઇએ તેમને ફોન કરીને કહેલ કે, તમારા મકાનના ટેરીસના ઉપરનો દરવાજો ખુલ્લો છે. જેથી ફરીયાદી તાત્કાલિક સાંઠબા પહોંચીને તપાસ કરતાં ચોરી થયાનું ખુલ્યુ હતુ.

ક્રાઇમ@સાઠંબા: બંધ મકાનમાં ત્રાટક્યાં તસ્કરો, 1.70 લાખના દાગીના ચોરી ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હોઇ અંદાજે 1.70 લાખના દાગીના ચોરી જતાં ચકચાર મચી ગઇ છે. ઘરમાલિકે તપાસ કરતાં તિજોરીમાંથી સોનાના દાગીના ગાયબ હતા અને બધો સામાન-વેરવિખેર પડ્યો છે. અજાણ્યાં ચોર તત્વો સોનાની ચેઇન, સોનાની લક્કી, સોનાની વીંટી મળી કુલ 1,70,000ની ચોરી કરી નાસી છુટ્યાં હોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. મકાનમાલિકે અજાણ્યાં ચોરતત્વો સામે આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.