ક્રાઇમ@સુરત: પ્રેમીએ પરિણીત પ્રેમિકાના પતિ પર હુમલો કર્યો, પોલીસે કરી અટકાયત

અટલ સમાચાર,ડેસ્ક પાંડેસરાથી પોલીસે પ્રેમિકાના પતિ ઉપર જીવલેણ હુમલો કરનારા પ્રેમી યુવકની અટકાયત કરી છે. એક યુવાન પરિણીતા સાથે પ્રેમમાં પડેલ યુવકે તેના પતિ ઉપર હુમલો કર્યો હતો. જે બાદમાં તે ઓડિશાથી ગુજરાતના સુરતમાંપ આવી ગયો હતો. આ તરફ ઘટનાને લઇ પોલીસે આરોપી યુવકને પાંડેસરા વિસ્તારમાંથી પકડી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના
 
ક્રાઇમ@સુરત: પ્રેમીએ પરિણીત પ્રેમિકાના પતિ પર હુમલો કર્યો, પોલીસે કરી અટકાયત

અટલ સમાચાર,ડેસ્ક

પાંડેસરાથી પોલીસે પ્રેમિકાના પતિ ઉપર જીવલેણ હુમલો કરનારા પ્રેમી યુવકની અટકાયત કરી છે. એક યુવાન પરિણીતા સાથે પ્રેમમાં પડેલ યુવકે તેના પતિ ઉપર હુમલો કર્યો હતો. જે બાદમાં તે ઓડિશાથી ગુજરાતના સુરતમાંપ આવી ગયો હતો. આ તરફ ઘટનાને લઇ પોલીસે આરોપી યુવકને પાંડેસરા વિસ્તારમાંથી પકડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓડિશા ખાતે રહેતો માનસરંજન આદિકાંધ પ્રધાન ઘર નજીક રહેતી અને પરિણીત મહિલા સાથે પ્રેમમાં પડ્યો હતો. બંને અનેક વખત મળતા પણ હતા. એક દિવસ આ યુવાન અને પરિણીત મહિલાના પ્રેમ સંબંધ વિષે પરિણીત મહિલાના પતિને ખબર પડી ગઈ હતી. જે બાદમાં પતિ તેની પત્નીને ત્રાસ આપવા લાગ્યો હતો. પતિનો ત્રાસ પત્નીથી સહન ન થતા એક દિવસ પોતાની સાથે થતી મારપીટ વિશે પ્રેમિકાએ તેના પ્રેમીને વાત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, યુવાન માનસરંજન આદિકાંધ પ્રધાને 22મી ડિસેમ્બર, 2019 રોજ પરિણીત પ્રેમિકા સાથે મળીને પ્રેમિકાના પતિ શિવરામ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ મામલે ઓડિશાના કબીસુર્યનગર પોલીસમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. એક વર્ષ પહેલા ગુનાને અંજામ આપીને આ યુવાન સુરત ખાતે આવીને સુરતના પાંડેસરા આવીને રહેવા લાગ્યો હતો. આ મામલે સુરત એસઓજી પોલીસને માહિતી મળતાં પોલીસે યુવાનને ગતરોજ ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરીને તેને ઓડિશા પોલીસને સોંપવાની કાર્યાવાહી શરૂ કરી છે.