નિર્ણય@ગાંધીનગર: કોરોના કેસો વધતાં અક્ષરધામ મંદિર 30મી નવેમ્બર સુધી બંધ
અટલ સમાચાર,ડેસ્ક
કોનાના કેસ વધતાં ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમજ સરકારે જે સાવચેતીના પગલા લીધા છે તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર તારીખ 24મી નવેમ્બરથી તા. 30 નવેમ્બર, 2020 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને પહેલાં 23મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મંદિર 30મી નવેમ્બર સુધી બંધ રહેશે. 30મી નવેમ્બરના રોજ જે તે સ્થિતિની સમિક્ષા કરીને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોના બાદ અમદાવાદના પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આઠ મહિના બાદ આજે મંદિર ખુલવા જઈ રહ્યું છે. દરરોજ સવારે નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ભક્તો અહીં દર્શનનો લાભ લઈ શકશે. આજે મંદિર ખુલવાનું હોવાની વાત જાણીને ભક્તો વહેલી સવારથી જ અહીં આવી પહોંચ્યાં હતા. મંદિર ખુલવાના સમાચારની ખુશી ભક્તોના મોઢા પર જોવા મળી હતી. જોકે, વહેલી સવારે મંદિર ન ખુલતા અનેક ભક્તોએ મંદિર પરિસરમાં માથું ટેકવીને બહારથી જ દર્શન કર્યાં હતાં.