નિર્ણય@ગુજરાત: ઉ.ગુ.ના 9 સહિત રાજ્યના 77 PSIની થઈ એકસાથે બદલી, જાણો કોને ક્યાં મુક્યાં ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે IPS અધિકારીઓની બદલીની વાતો વચ્ચે આજે અચાનક રાજ્યમાં 77 જેટલા PSIની બદલી કરવામાં આવી છે. અચાનક જ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીઓથી પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. રાજ્ય ગૃહ વિભાગ દ્રારા 7 બીન હથિયારી પીએસઆઇની બદલી કરી અમુકને અન્ય જીલ્લામાં બદલી કરવામાં આવી છે. આજે કરાયેલી બદલીઓમાં ઉત્તર ગુજરાતના 9 જેટલા PSIની પણ અન્ય જીલ્લામાંઓ બદલી કરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજયના 77 બીન હથિયારી PSIની બદલીના આદેશ આપ્યા હતા. જેમાં મહેસાણાના આદરેજીયા મનોજકુમાર અને ત્રિવેદી ઉમેશકુમારને અમદાવાદ શહેર, બનાસકાંઠાથી આહીર સાગરભાઇને નવસારી, રબારી અલ્પેશભાઇને આણંદ, ઝાલા નીતાબેનને પંચમહાલ, હિંગોરા ઇશાકભાઇને બોટાદ, વાઝા જેસીંગભાઇને જુનાગઢ, સાબરકાંઠા જીલ્લામાંથી ચાવડા સુખદેવસિંહને મહેસાણા અને પાટણથી બારોટ યશવંતભાઇની સાબરકાંઠા જીલ્લામાં બદલી કરવામાં આવી છે.
આ સાથે રાજકોટ શહેરના બે અને ગ્રામ્યના બે PSI મળી સૌરાષ્ટ્રમાં 27 જેટલા PSIની અરસ પરસ બદલી થઇ છે. અન્ય જિલ્લા કે શહેરમાંથી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કેટલાક નવા PSIને મુકાયા છે. જેમાં જાડેજા ચંદ્રકલાબા ભરતસિંહને દેવભૂમિ દ્વારકાથી ઇન્ટેલીજન્સ, ભોજાણી રાણા આશાભાઇને રાજકોટ ગ્રામ્યમાંથી ગીર સોમનાથ, સોલંકી વિરેન્દ્રસિંહ ઉદયસિંહને જૂનાગઢથી ગીરસોમનાથ, રાણા સિઘ્ધરાજસિંહ જયદેવસિંહને કચ્છ-પશ્ર્ચિમ ભૂજથી રાજકોટ ગ્રામ્ય, રબારી હેતલબેન માલજીભાઇને સુરેન્દ્રનગરથી ખેડા મુક્યા છે.
આ સિવાય જાડેજા પ્રદિપસિંહ અશોકસિંહને દેવભૂમિ દ્વારકાથી અમરેલી, પરમાર અજયસિંહ દશરથસિંહને દેવભૂમિ દ્વારકાથી ઇન્ટેલીજન્સ, ગોહિલ રામદેવસિંહ જામસિંહને સુરેન્દ્રનગરથી રાજકોટ ગ્રામ્ય, મહેતા રાજેન્દ્રકુમાર ગણપતલાલને જૂનાગઢથી વલસાડ, મકવાણા ચેતનકુમાર હસુભાઇને ભાવનગરથી દેવભૂમિ દ્વારકા, હુણ માંડાભાઇ જીવાભાઇને અમદાવાદ શહેરથી રાજકોટ શહેર, ધાંધલ્યા ધર્મિષ્ઠાબેન અંબાશંકરને રાજકોટ શહેરથી અમદાવાદ ગ્રામ્ય, પરમાર કેતન વિરજીભાઇને ગીરસોમનાથથી જૂનાગઢ, વાવૈયા સરોજબેન શંભુભાઇને અમરેલીથી ગીરસોમનાથ, વાછાણી ચેતનાબેન શાંતીલાલને રાજકોટ ગ્રામ્યથી રાજકોટ શહેર, સોનારા પુષ્પાબેન રમેશભાઇ સુરેન્દ્રનગરથી અમદાવાદ બદલી કરી છે.