નિર્ણય@ગુજરાતઃ 1 લી એપ્રિલથી 60 લાખ પરિવારને મફતમાં રાશન અપાશે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા નાગરીકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોક ડાઉનના પગલે ધંધા-રોજગારને અસર પડતા જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય તે લોકોની સ્થિતિ દયનીય બની હતી, જેને પગલે આજે સરકારે મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
નિર્ણય@ગુજરાતઃ 1 લી એપ્રિલથી 60 લાખ પરિવારને મફતમાં રાશન અપાશે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા નાગરીકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોક ડાઉનના પગલે ધંધા-રોજગારને અસર પડતા જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય તે લોકોની સ્થિતિ દયનીય બની હતી, જેને પગલે આજે સરકારે મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે, ગરીબ, શ્રમજીવી અને મધ્યમવર્ગના 60 લાખ જેટલા પરિવારના 3.25 કરોડ લોકોને લોકડાઉનના પગલે ખાવા પીવાની ચીજ વસ્તુઓની તકલીફ ન પડે તે માટે આવા રેશનકાર્ડ ધારકોને 1 એપ્રિલથી એક મહિના માટે મફતમાં રાશન આપવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી રાજ્યની સરકાર માન્ય અનાજની દુકાન પરથી વ્યક્તિદીઠ 1.50 કિલો ચોખા, કટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વીના મુલ્યે આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા કોઈ નાગરીકને તકલીફ ન પડે તે માટે સંવેદના પૂર્વક આ નિર્ણય લીધો છે. તેમણે અપીલ કરી કે, કોરોનાથી બચવા માટે કોઈ પોતાના ઘરની બહાર ન નીકળે, અને સમાજને આ વાયરસથી બચાવે. જીવન આવશ્યક તમામ ચીજવસ્તુઓની ભવિષ્યમાં પણ તકલીફ ના પડે તે માટેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી વસ્તુઓનો સંગ્રહ કરવાનું કે આવી ચીજવસ્તુઓ મળશે નહી તેવો ડર રાખવાની જરૂરત નથી.