નિર્ણય@ગુજરાત: 123 તાલુકામાં પાક નુકશાન માટે 3700 કરોડનું પેકેજ જાહેર

અટલ સમાચાર, ગાંધીનગર કોરોના મહામારી વચ્ચે આજે મળેલ વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રીએ પાક નુકશાની સામે 3700 કરોડના પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. ઓગસ્ટ-2020માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે.આ
 
નિર્ણય@ગુજરાત: 123 તાલુકામાં પાક નુકશાન માટે 3700 કરોડનું પેકેજ જાહેર

અટલ સમાચાર, ગાંધીનગર

કોરોના મહામારી વચ્ચે આજે મળેલ વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રીએ પાક નુકશાની સામે 3700 કરોડના પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. ઓગસ્ટ-2020માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે.આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાગૃહમાં નિયમ-44 અન્વયે કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘‘રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થયેલ હતી. શરુઆતના તબક્કામાં ખેતીને અનુકુળ માફક સરનો વરસાદ થયેલ હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખુબ સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓગષ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને નુકશાનના અહેવાલ છે’’.

નિર્ણય@ગુજરાત: 123 તાલુકામાં પાક નુકશાન માટે 3700 કરોડનું પેકેજ જાહેર

ઉપરાંત આ અંગે ખેડુતો, ખેડુત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓ દ્વારા પણ રજુઆતો કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વિગેરે પાકોમાં નુકશાન થવા પામેલ છે. રાજ્ય સરકારે અવાનરવાર જાહેરાત કરેલી છે કે, રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકશાન થયેલ હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. વર્ષ 2018-19માં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી, ત્યારે રાજયના 51 તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત અને 45 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરી ખેડુતોને થયેલ ખેતી પાકોના નુકશાનમાં મદદરૂપ થવા માટે સહાય ચુકવવા નિર્ણય લીધેલો હતો.

નિર્ણય@ગુજરાત: 123 તાલુકામાં પાક નુકશાન માટે 3700 કરોડનું પેકેજ જાહેર

આ તરફ વર્ષ 2019-20માં પણ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાનમાં રાજ્યના તમામ ખેડુતોને આવરી લેતુ રૂ. 3795 કરોડનું ઐતિહાસિક “કૃષિ સહાય પેકેજ” જાહેર કરેલ હતું. હવે, ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં તા.19-09-2020ની સ્થિતિએ થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂ. 3700 કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ છે. જેમાં 33% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ.10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ.5000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સહાય પેકેજ જે 20 જિલ્લાઓના 123 તાલુકાઓ માટે કર્યું તેની યાદી

  • કચ્છ: અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ,. લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા, રાપર
  • દેવભુમી દ્વારકા: ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર, ખંભાળીયા
  • ભરૂચ: આમોદ, અંક્લેશ્વેર, ભરુચ, હાંસોટ, જંબુસર, ઝગડીયા, નેત્રંગ, વાગરા, વાલીયા
  • પાટણ: ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, સાંતલપુર, શંખેશ્વર
  • અમદાવાદ: બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા
  • મોરબી: હળવદ માળીયા(મી.), મોરબી, ટંકારા, વાંકાનેર
  • જુનાગઢ: ભેસાણ, જુનાગઢ, કેશોદ, માળીયા (હા) માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર, જુનાગઢસીટી
  • અમરેલી: અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ
  • જામનગર: ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડીયા ૫, કાલાવાડ, લાલપુર
  • પોરબંદર: કુતિયાણા, પોરબંદર, રાણાવાવ
  • રાજકોટ: ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી, રાજકોટ, ઉપલેટા, વિછિયા
  • ગીર સોમનાથ: ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના, વેરાવળ
  • મહેસાણા: બેચરાજી, કડી, મહેસાણા
  • બોટાદ: બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર
  • સુરેંદ્રનગર: ચોટીલા, ચુડા,દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ
  • ભાવનગર: ભાવનગર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર, મહુવા, શિહોર
  • સુરત: બારડોલી, મહુવા, માંડવી (સુ), માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા
  • નવસારી: જલાલપોર
  • નર્મદા: નાંદોદ
  • આણંદ: સોજીત્રા, તારાપુર