નિર્ણય@મહેસાણા: કોરોના કેસો વધતાં 150 બેડની સાંઇક્રિષ્ણા હોસ્પિટલ ફરીથી કાર્યરત કરાશે
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
મહેસાણા જીલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં હોઇ હવે દર્દીઓની સારવારને લઇ મહત્વો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીલ્લામાં દર્દીઓની સારવાર માટે સાંઇક્રિષ્ણા હોસ્પિટલ કાર્યરત કરવા જણાવ્યુ છે. કોરોના મહામારી વચ્ચે વહીવટીતંત્ર દ્રારા એક્શન મોડમાં આવી 150 બેડની આઇ.સી.યુની વ્યવસ્થા સાથે આગામી 24 કલાકમાં સાંઇક્રિષ્ણા હોસ્પિટલ કાર્યરત થનાર છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાયબ મુખ્યમંત્રી સાંઇક્રિષ્ણા હોસ્પિટલ કાર્યરત કરવા જણાવ્યુ છે. સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં 150 બેડની આઇ.સી.યુની વ્યવસ્થા સાથે આગામી 24 કલાકમાં કાર્યરત થનાર છે. મહેસાણા જિલ્લામાં સાંઇક્રિષ્ણા હોસ્પિટલ કાર્યરત થવાથી કોવિડના દર્દીઓના આરોગ્યની વિશેષ સારવાર થશે. આ ઉપરાંત મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની સુચનાથી લાયન્સ હોસ્પિટલમાં પણ પથારીઓમાં વધારો કરવા માટેનું આયોજન હાથ ધરેલ છે.