નિર્ણય@સૌરાષ્ટ્ર: કોરોનાને ધ્યાને લઇ જન્માષ્ટમી દરમ્યાન વીરપુર જલારામ મંદીર રહેશે બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આગામી જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઈ વીરપુરનું જલારામ મંદિર બંધ રાખવા સંચાલકોએ નિર્ણય લીધો છે. આગામી સાતમ-આઠમના તહેવારો 29મીથી ચાલુ થઈ રહ્યાં છે તહેવારો દરમિયાન લોકો હરવા-ફરવાના સ્થળોએ, ધાર્મિક સ્થાનોએ ઉમટી પડો હાલ સંક્રમણ ઓછુ થયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
નિર્ણય@સૌરાષ્ટ્ર: કોરોનાને ધ્યાને લઇ જન્માષ્ટમી દરમ્યાન વીરપુર જલારામ મંદીર રહેશે બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આગામી જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઈ વીરપુરનું જલારામ મંદિર બંધ રાખવા સંચાલકોએ નિર્ણય લીધો છે. આગામી સાતમ-આઠમના તહેવારો 29મીથી ચાલુ થઈ રહ્યાં છે તહેવારો દરમિયાન લોકો હરવા-ફરવાના સ્થળોએ, ધાર્મિક સ્થાનોએ ઉમટી પડો હાલ સંક્રમણ ઓછુ થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ યાત્રાધામ વીરપુરમાં આગામી તહેવારોમાં ફરી લોકોની ભીડ ન થાય અને કોરોના સંક્રમણ ન વધે તેવા શુભ આશયથી વીરપુરનું જલારામ મંદિર તહેવારો દરમ્યાન બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વીરપુરનું જલારામ ધામ આગામી તા.27 ઓગષ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ દિવસો દરમ્યાન શ્રધ્ધાળુઓ વીરપુર જલારામ બાપાના દર્શન કરી શકશે નહીં. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાઓ તો બંધ રહ્યાં છે ત્યારે ઘણા ધાર્મિક સ્થાનો પણ તહેવારો દરમ્યાન બંધ રહેશે.