નિર્ણય@ઊંઝા: આ કારણોસર એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રાખવાની જાહેરાત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ 8 દિવસ માટે બંધ રહેશે. જેમાં માર્ચ એન્ડિંગમાં વેપારીઓ પોતાના હિસાબો કરી શકે તે માટે 25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી એમ કુલ 8 દિવસ માટે માર્કેટયાર્ડ
 
નિર્ણય@ઊંઝા: આ કારણોસર એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રાખવાની જાહેરાત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ 8 દિવસ માટે બંધ રહેશે. જેમાં માર્ચ એન્ડિંગમાં વેપારીઓ પોતાના હિસાબો કરી શકે તે માટે 25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી એમ કુલ 8 દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રહેશે. જોકે આ નિર્ણયને કોરોનાના કેસો સાથે કંઈ લેવાદેવા નથી, પરંતુ વધતાં કેસોની વચ્ચે આ નિર્ણય સરાહનિય સાબિત થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના ઉંઝામાં આવેલું એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ આગામી 8 દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. ઉંઝા APMC દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે, માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઉંઝા APMC દ્વારા ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

નિર્ણય@ઊંઝા: આ કારણોસર એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રાખવાની જાહેરાત
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં દરરોજ 1,000થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આ અફવાઓ અને ભયના માહોલ વચ્ચે જ્યા રોજ હજારો લોકો આવે છે એવું ઉંઝાનું માર્કેટયાર્ડ 8 દિવસ માટે બંધ રહેશે. નોંધનિય છે કે, ઉંઝા માર્કેટયાર્ડમાં 2,000 કરતાં વધારે દુકાનો છે અને આ દુકાનોમાં હજારો લોકો કામ કરે છે. આ ઉપરાંત રોજબરોજની કામગીરી સાથે સંકળાયેલા હડારો કામદારો અને ખેડૂતોની પણ ઉંઝા માર્કેટયાર્ડમાં ભીડ જામે છે.