દિયોદર: આડા સંબંધનો વહેમ રાખી યુવકની હત્યા કરનારને આજીવન કેદ 

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર) બનાસકાંઠાના દિયોદરમાં એક વર્ષ અગાઉ પત્નીના આડા સંબંધ મામલે વહેમ રાખી ગામના જ યુવકની કરપીણ હત્યા કરાઇ હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે હત્યા કરનાર જયંતીજી ઠાકોર નામના શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. દિયોદર
 
દિયોદર: આડા સંબંધનો વહેમ રાખી યુવકની હત્યા કરનારને આજીવન કેદ 

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

બનાસકાંઠાના દિયોદરમાં એક વર્ષ અગાઉ પત્નીના આડા સંબંધ મામલે વહેમ રાખી ગામના જ યુવકની કરપીણ હત્યા કરાઇ હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે હત્યા કરનાર જયંતીજી ઠાકોર નામના શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. દિયોદર: આડા સંબંધનો વહેમ રાખી યુવકની હત્યા કરનારને આજીવન કેદ 

 

 

 

 

દિયોદર તાલુકાના બીયોકપુરા ગામે એક વર્ષ અગાઉ એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તપાસમાં બીયોકપુરા વિસ્તારમાં રહેતા જયંતીજી ઠાકોર નામના શખ્સે તેની પત્નીના આડા સંબંધ રાજુજી સાથે હોવાનો વહેમ રાખી તેની લાકડીના ઘા મારી હત્યા કરી હોવાનું ભર આવ્યું હતું. જેથી પોલીસે આરોપી જયંતીજી ઠાકોરની સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.

દિયોદર: આડા સંબંધનો વહેમ રાખી યુવકની હત્યા કરનારને આજીવન કેદ 

આ કેસ દિયોદરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વી. ડી. ઠાકોરની ધારદાર દલીલો, સંયોગીક પુરાવાઓ અને આરોપીનું કબૂલાતનામું સહિતના મુદ્દાઓને ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી અને રૂ. 5500નો દંડ ફટકાર્યો છે. હત્યારાને કડક સાંજ ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો.