દેશઃ જવાનો વચ્ચે ફાયરિંગ, ગોળી વાગતાં 6ના મોત, 2 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક છત્તીસગઢના નારાયણપુર જિલ્લાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આઈટીબીપીના એક જવાને પોતાના સાથીઓ પર જ ફાયરિંગ કરી દીધું છે. ગોળી વાગવાના કારણે 6 જવાનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. તો 2 જવાન ઘાયલ થયા છે. કડેનાર સ્થિત આઈટીબીપીના કૅમ્પમાં આ ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ગોળી ચલાવવાના જવાનનું પણ
 
દેશઃ જવાનો વચ્ચે ફાયરિંગ, ગોળી વાગતાં 6ના મોત, 2 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આઈટીબીપીના એક જવાને પોતાના સાથીઓ પર જ ફાયરિંગ કરી દીધું છે. ગોળી વાગવાના કારણે 6 જવાનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. તો 2 જવાન ઘાયલ થયા છે. કડેનાર સ્થિત આઈટીબીપીના કૅમ્પમાં આ ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ગોળી ચલાવવાના જવાનનું પણ મોત થઈ ગયું છે. હાલ ઘાયલ જવાનોને પાટનગર રાયપુર લઈ જવામાં આવી રહ્યા છે. રૅન્જના આઈજી પી. સુંદરરાજે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે. જવાનોની રજા નક્કી રહે છે, તેમને રજા માટે રોકવામાં નથી આવતા. તેથી રજાના કારણે આ ઘટના નહીં બની હોય. તેઓએ કહ્યું કે, ફ્રસ્ટેશનની કોઈ વાત નથી. જવાનોની વચ્ચે કોઈ વાતને લઈ પરસ્પર વિવાદ થયો હશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મળતી માહિતી મુજબ, જવાનોમાં કોઈ વાતને લઈ વિવાદ થયો. ત્યારબાદ એક જવાને પોતાની સર્વિસ રાઇફલથી સાથીઓ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. બચાવ કરવા આવેલા બાકી જવાનોને પણ ગોળી વાગી અને તેઓ ઘાયલ થઈ ગયા. ઘટનામાં ઘાયલ જવાનોને રાયપુર લાવવામાં આવી રહ્યા છે. ઘાયલ બે જવાનોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. માનવામાં આવી રહ્યું છે કે રજા નહીં મળવાને કારણે જવાનો વચ્ચે વિવાદ થયો. વિવાદ વધ્યા બાદ જવાને સાથીઓ પર ફાયરિંથ કર્યું.